Tuesday, December 22, 2009

મૌન જવાળામુખી - વેદના - સંવેદના

મૌન જવાળામુખી

વેદના - સંવેદના

કોઇક ને જ્યારે ઘણું બધું કહેવાની
ઇચ્છા ના સાગરને જ્યારે,
હું મારી અંદરજ સમાવી લઉં છું ત્યારે,
અશ્રુઓ જ્વાળા મુખી બની જાય છે.

નથી અંદર રહી શકતા.
નથી બહાર નીકળી શકતા.

ખબર નથી મને પણ એ ક્યારે ફાટશે?

પણ એટલો વિશ્વાસ છે,

કે
જ્યારે એ ફાટશે ત્યારે હું,

આ વિશાળ વિશ્વના કોઇ દરિયા કિનારે,

નદિ કિનારે,

કે પછી અગાસી પરથી દેખાતા

સૂર્ય ના અંતિમ કિરણો સામે ઉભી હોઇશ.

કોઇ માનવી સામે તો નહિં જ............!!!!!!!

No comments:

Post a Comment